ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વસિષ્ઠ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. એ નામના એક વ્યાસ.
पुं. એ નામનો બત્રીસ માંહેનો એક વિનયવાદી.
पुं. એ નામનો સપ્તર્ષિ મંડળનો એક તારો. અરુંધતીનો તારો પાંચમા દરજ્જાનો છે, પણ પાસેના વધારે તેજસ્વી વસિષ્ઠના તેજમાં તેનું તેજ ડૂબી જાય છે, તેથી સારી આંખવાળા જ તેને જોઈ શકે છે. વસિષ્ઠની જરા જ પૂર્વે બારીકાઈથી જોતાં તે માલૂમ પડશે.
पुं. ગાયત્રીના ચોવીશ માંહેના એક ઋષિ.
पुं. યુધિષ્ઠિરના અશ્વમેધયજ્ઞમાં ઋત્વિજનું કામ કરનાર સોળ માંહેના એક ઋષિ.
पुं. ( પુરાણ ) રઘુવંશના કુળગુરુ; વશિષ્ઠ. આ સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રો માંહેના એક હતા. કર્દમઋષિની દીકરી અરુંધતી વેરે પરણ્યા હતા. તેમને બીજી ઊર્જા નામની પણ સ્ત્રી હતી. તેમણે અરુંધતીને કેળવણી આપી જ્ઞાની બનાવી હતી. ઇક્ષ્વાકુ કુળના વિકુક્ષિ રાજાના તે કુળગુરુ થયા. અરુંધતીને શક્તિ વગેરે સૌ પુત્રો થયા હતા. અરુંધતીએ વેદ ઉપર ભાષ્ય કર્યું છે. વસિષ્ઠ સદા યોગી વેષે રહેતા હતા. એને લાંબી દાઢી હતી, માથાના કેસરી રંગના વાળ પાઘડીની પેઠે વીંટાયેલા રહેતા. તેનો આશ્રમ હિમાલયના એક શિખર ઉપર હતો એ ઉપરથી એ શિખર હજુ પણ વસિષ્ઠના નામથી ઓળખાય છે. તેઓ વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી ને ઉત્તમવક્તા હતા. નંદિની નામની કામધેનુનું તેને ઉત્તમ બળ હતું. તે વડે એ અતિથિનો તેમની ઇચ્છા પ્રમાણે સત્કાર કરી શકતા. વસિષ્ઠ દશરથ રાજાના પુરોહિત અને મોટા પ્રધાન હતા. તેમની સલાહ પ્રમાણે રાજ્યકારભાર ચાલતો. દશરથને પુત્ર ન હોવાથી વસિષ્ઠે તેમને પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો તેથી રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન એ ચાર પુત્રો થયા. વસિષ્ઠે રામને વેદ, વેદાંગ, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ન્યાય, નીતિ અને સકળ કળા વગેરે ચૌદ વિદ્યાનું શિક્ષણ આપ્યું હતું. તેમ જ તેમણે રામને આધ્યાત્મિક જ્ઞાન તથા યોગ સમજાવ્યો હતો. એનો ગ્રંથ આજે યોગવાસિષ્ઠ અથવા મહારામાયણ નામથી પ્રસિદ્ધ છે. વળી વસિષ્ઠે સ્મૃતિગ્રંથ રચેલો છે તેને વસિષ્ઠસ્મૃતિ કહે છે તથા તેણે રચેલી સંહિતાને વસિષ્ઠસંહિતા કહે છે. તે ૨૧ અધ્યાયની છે. વસિષ્ઠે પાછલી અવસ્થા તપસ્વીરૂપે પત્ની સહિત હિમાલય પર્વત ઉપર ગાળી છે. યોગધર્મના તેઓ આચાર્ય હતા. આ યોગધર્મ વેદના જ્ઞાનકાંડ અને વેદાંતશાસ્ત્રના વલણ ઉપરથી રચાયો હતો. આ ધર્મમાં ગોરખ, મત્સ્યેંદ્ર, જાલંધર, નવનાથ, ચોર્યાશી સિદ્ધ, જૈનોના નવ યોગેશ્વર વગેરે યોગીઓ તેમ જ ગોપીચંદ, ભરથરી, વિક્રમ વગેરે મહારાજાઓ આ ધર્મના નિયમ ઉપર ચાલી ગયા છે. વસિષ્ઠે પોતાની નંદિની નામની ધેનુ દિલીપ રાજાને આપી હતી. વસિષ્ઠની બે જન્મની કથાથી સિદ્ધ થાય છે કે, વસિષ્ઠ ગણિકાના ગર્ભથી ઉત્પન્ન થયા નથી. પ્રથમ જન્મમાં વસિષ્ઠ બ્રહ્માના અયોનિજ માનસિક પુત્ર હતા. શ્રીમદ્ ભાગવતમાં વસિષ્ઠને બ્રહ્માના દશ માનસ પુત્રમાંના એક કહ્યા છે. ભગવાન મનુ પણ એમ જ કહે છે. આ પ્રમાણોથી સાબિત થાય છે કે, વસિષ્ઠ અયોનિજ છે અને તેથી તે ગણિકાપુત્ર ન હતા. એમ કહેવાય છે કે, એક રાત્રીના સમારંભમાં દેવો એકઠા મળ્યા હશે. ત્યાં મિત્ર અને વરુણ ઉર્વશીને જોઈ ક્ષોભ પામ્યા અને વીર્ય સ્ખલિત થયું. તે અર્ધું એક કુંભ એટલે ઘડામાં પડ્યું અને અર્ધું વસુ એટલે પાણીમાં પડ્યું. આ રીતે વસુમાંથી જે પ્રગટ્યા તેને વસિષ્ઠ કહે છે.
पुं. ( પુરાણ ) વિષ્ણુસ્થળ નામના ક્ષેત્રમાં રહેતો કૌશિક ઋષિનો શિષ્ય.
पुं. વૈવસ્વત મન્વંતરના સાત માંહેનો એક ઋષિ.
न. ( જૈન ) જૈન આચાર્યોનું એક ગોત્ર.
૧૦ न. ( પુરાણ ) હિમાલય પર્વત ઉપરનું એ નામનું એક શિખર.